સુરતમાં 30 જેટલા તરછોડાયેલા વૃદ્ધોને માતાપિતાની જેમ સાચવે છે આ દંપતી

પ્રકાશિત

આજના સમયમાં સગાં દીકરા અને દીકરીઓ મા-બાપની સેવા કરવાના બદલે ધિક્કારતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.

ત્યારે સુરતનાં આ દંપતીએ પોતાનું જીવન તરછોડેલા તેમજ માનસિક વિકલાંગ વડીલોને સમર્પિત કરી દીધું છે.

આ દંપતી ગત સાડાં ત્રણ વર્ષથી જેમને કોઈ ના સાચવતું હોય તેવા લોકોને આશરો આપી તેમની તમામ જરૂરીયાતો પૂરી કરે છે અને એ પણ કોઈ પણ પૈસા લીધા વિના.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો