You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબમાં આપ જીતી તો ગુજરાતમાંથી આપના નેતા નિખિલ સવાણીએ કઈ વાત કહી?
પ્રકાશિત
પંજાબ વિધાનસભાની ચૂંટણીનાં વલણો પર નજર કરીએ તો પંજાબમાં છેલ્લાં 55 વર્ષનો ક્રમ બદલાતો જણાય છે. અહીં પહેલી વખત કૉંગ્રેસ કે શિરોમણિ અકાલીદળને બદલે કોઈ ત્રીજા પક્ષની સરકાર બની રહી છે.
આમ આદમી પાર્ટીએ સંગરૂરની બેઠક પરથી બીજી વખતના સંસદસભ્ય ભગવંત માનને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ પાર્ટીના પંજાબ એકમના વડા પણ છે. કૉમેડિયન તરીકે રાજકારણીઓને ટૉન્ટ મારનાર માન પોતે રાજકારણી બન્યા છે અને પંજાબના મુખ્ય મંત્રીપદની નજીક પહોંચ્યા છે.
ત્યારે ગુજરાતના નેતાઓ શું કહી રહ્યા છે?
વીડિયો : સાગર પટેલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો