ગુજરાતનું એ ગામ જ્યાં આઝાદી બાદ ચૂંટણી જ થઈ નથી

પ્રકાશિત

આ છે રાજકોટનું રાજસમઢીયાળા ગામ જ્યાં આજ સુધી ગ્રામપંચાયતની ચૂંટણી કરવાની ફરજ પડી નથી.

ગામમાં સરપંચની પસંદગી ગામ દ્વારા સમરસતાથી કરવામાં આવે છે.

ગ્રામજનોનો દાવો છે કે ગામ 2005થી પ્લાસ્ટિક તથા નશામુક્ત છે.

ગ્રામપંચાયત દ્વારા કચરો ફેંકવા પર રૂપિયા એકાવનથી લઈને એક હજાર સુધીના દંડની જોગવાઈ છે.

ગામમાં મહેમાનો માટે ગેસ્ટહાઉસની પણ વ્યવસ્થા છે. ગામમાં સીસીટીવી કૅમેરા, આરસીસી રસ્તા તથા રમતગમત માટેના મેદાન માટેની પણ સુવિધા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો