ખેડૂત આંદોલન : ધરણાં પર બેઠેલા એ કિસાન જેમણે લાઠી ખાધી પણ ઝૂક્યા નહીં
પ્રકાશિત
26 નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું છે. પણ તે સમયે એક વૃદ્ધ ખેડૂત પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તેમની તસવીર વાયરલ થઈ હતી.
સુખદેવ સિંહ ખેડૂતોના આંદોલનના પોસ્ટરમૅન બની ગયા હતા. ત્યારે પોસ્ટરમૅન બનેલા આ ખેડૂતના જીવનની વાસ્તવિકતા પર બીબીસીનો ખાસ અહેવાલ.
અત્રે નોંધવું કે મોદી સરકારે આખરે ખેડૂતો સામે ઝૂકીને વિવાદિત ત્રણ કૃષિકાયદા પરત લઈ લીધા છે. તેમણે કાયદા પરત લેવાની જાહેરાત સમયે ખેડૂતોની માફી પણ માગી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો