ભરૂચમાં સ્થિત એ ઇમારત જેમાં વેપારી કોઠીઓ સ્થાપનાર ડચ પ્રજાનો અમૂલ્ય 'ખજાનો' દબાયેલો છે
પ્રકાશિત
ભરૂચના કુકરવાડા ખાતે નર્મદા કિનારા સ્થિત એક ખાસ ઐતિહાસિક ઇમારત ભારતનો 400 વર્ષ જૂનો ઇતિહાસ સાચવીને બેઠી છે. આકારમાં ચોરસ અને ઉપરથી પિરામિડ જેવું દેખાતું આ ઇમારતનું બાંધકામ ડચ લોકોનું કબ્રસ્તાન છે.
આમ તો આ કબ્રસ્તાન છે પરંતુ તેના બાંધકામની ડિઝાઇન અને નક્શીકામ ઐતિહાસિક ડચ શિલ્પકલાની વિરાસત રજૂ કરે છે. જોકે સદીઓના સમયના મારને લીધે નક્શીકામ ઘસાઈ ચૂક્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો