ગુજરાતમાં શાકભાજીના ભાવ કેમ સતત વધી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, પેટ્રોલ-ડીઝલમાં ભારેખમ ભાવવધારા બાદ શાકભાજી પણ 300 ટકા મોંઘી થઈ
પ્રકાશિત

ગુજરાતમાં જથ્થાબંધ શાકભાજીના ભાવો વધી રહ્યા છે, ચોમાસાના અંતમાં વરસેલા અનિયમિત વરસાદના કારણે પાકને અસર થઈ છે, જેના કારણે બજારોમાં પુરવઠો ઘટ્યો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે અધિકારીઓ અને વેપારીઓ જણાવે છે કે રાજ્યના સૌથી મોટા શાકભાજી માર્કેટ પૈકીનાં એક એવા અમદાવાદના સરદાર પટેલ માર્કેટયાર્ડમાં શાકભાજીનો જથ્થાબંધ ભાવ 30 દિવસમાં 300 ટકા જેટલો વધ્યો છે.

ડુંગળીના જથ્થાબંધ ભાવ 18 સપ્ટેમ્બરથી 18 ઑક્ટોબરની વચ્ચે બમણા થઈ ગયા છે.

સૌરાષ્ટ્રની ડુંગળીના ભાવ 700થી 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જે હવે 1500થી 2800 રૂપિયા સુધી વધ્યા છે. મહારાષ્ટ્રની ડુંગળીના ભાવ પણ 50 ટકા વધીને 1500 રૂપિયા થઈ ગયા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો