પાકિસ્તાનમાં ચરમપંથી સંગઠન તહેરિક-એ-તાલિબાન ફરી માથું ઊંચકી રહ્યું છે?

પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હવે પાકિસ્તાનમાં તહેરિક-એ-તાલિબાન ફરીથી માથું ઊંચકશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

પાકિસ્તાનના કબિલાઈ વિસ્તારમાં આ ઉગ્રવાદી સંગઠનનો ત્રાસ છે. તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનની સ્થાપના 2007માં થઈ હતી. તે પોતાની માન્યતા અનુસારના ઇસ્લામને લાગુ કરવા માગે છે.

પાકિસ્તાની સૈન્યે ભારે પ્રયાસો બાદ આ ઉગ્રવાદી સંગઠનનો પ્રભાવ ઓછો કર્યો હતો પણ હવે તહેરિક-એ-તાલિબાન ફરીથી સક્રિય થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો