તાલિબાન શિયા સંપ્રદાયના હઝારા લોકોને કેમ તગેડી રહ્યું છે?

પ્રકાશિત

કાબુલથી 400 કિલોમીટર દૂર આવેલા દાઇકુન્ડી પ્રાંતમાં મોટા પ્રમાણમાં હઝારા સમુદાયના લોકો રહે છે. આ વિસ્તાર ઇસ્લામના શિયા પંથને અનુસરતા 'હઝારા સમુદાયનું ઘર' માનવામાં આવે છે.

જોકે, બીબીસીને પુરાવા મળ્યા છે કે તાલિબાન હવે આ સમુદાયને અહીંથી હાકી રહ્યું છે. ચાર હજાર લોકો આ રીતે જ અહીંથી વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે.

તાલિબાને જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી હઝારા સમુદાય ભયમાં છે.

જુઓ, અફઘાનિસ્તાનમાંથી બીબીસીનાં સવાંદદાતા યલ્દા હકિમનો આ વિશેષ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો