ભરૂચમાં વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક ધોવાયો, આવતાં વર્ષે પણ નુકસાનની ભીતિ
પ્રકાશિત
ગુલાબ વાવાઝોડાની અસરથી ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે.
પાણી ભરાવાના કારણે હજારો એકરમાં ઊભો પાક નષ્ટ થઈ રહ્યો છે.
ધોધમાર વરસાદના કારણે ભરૂચ જિલ્લાના માર્ગોને પણ ઘણું નુકસાન થયું છે, સાથેસાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
અનેક દુકાનોમાં પાણી ભરાઈ જવાથી દુકાનદારોને પણ લાખોનું નુકસાન થયું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો