દ્વારકામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 107 જેટલા લોકોનું સ્થળાંતર
પ્રકાશિત
આ દૃશ્યો દેવભૂમિ દ્વારકાના રાવલ ગામનાં છે, જ્યાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
અહીં વર્તુ -2 ડેમના દરવાજા ખોલવામાં આવતા અને સાની ડેમનું સમારકામ થતું હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
પાણી ભરાવાની આ ઘટના બાદ અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો