ગુજરાતની એ શાળા, જ્યાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે બનાવાયો છે ન્યૂઝરૂમ

પ્રકાશિત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રંગપુર ગામમાં આવેલી છે એક એવી આધુનિક શાળા, જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ક્રીએટિવિટી કેળવવા અનોખો જ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

અંતરિયાળ ગામમાં આવેલી સરકારી શાળા 1954માં શરૂ થઈ હતી.

જંગલવિસ્તારની વચ્ચે અહીં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું અને મૉડર્ન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે.

સાથે જ વિદ્યાર્થીઓનો સ્ટેજ ફિયર દૂર થાય અને તેમનામાં વક્તૃત્વકળા વિકસે તે હેતુથી આ શાળામાં ન્યૂઝરૂમ બનાવાયો છે.

જુઓ, આ શાળા અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો