શિક્ષક દિને જ ગુજરાતમાં શિક્ષકે કરી આત્મહત્યા, મૃત્યુ પહેલાં પોતાની પુત્રીને શું લખ્યું?

પ્રકાશિત

રાજ્યમાં શિક્ષકદિને જ એક શિક્ષકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.

આ બનાવ છે ગીર ગઢડાના હરમાડિયા ગામનો, જ્યાં થોરડી ગામની પ્રથામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ધનશ્યામભાઈ અમરેલિયાએ આપઘાત કરી લીધો હતો.

ઘટનાને લઈને કેટલીક ચોકવનારી વાતો સામે આવી છે. મૃતક પ્રિન્સિપાલે મરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી, સાથે જ પોતાની દિકરીને પણ મેસેજ કર્યા હતા.

વીડિયોમાં જાણો તેમણે પોતાની પુત્રીને મરતાં પહેલાં શું કહ્યું?

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો