અમદાવાદ રથયાત્રામાં મલખમના દાવ કેવી રીતે કરવામાં આવે છે?

પ્રકાશિત

અમદાવાદમાં રથયાત્રા એક ખાસ અવસર હોય છે અને તેની તૈયારીઓ પણ કેટલાય દિવસ પહેલા શરૂ થઈ જતી હોય છે.

કોરોના મહામારીને કારણે અમદાવાદમાં રથયાત્રાની રોનક ફીકી પડી ગઈ હતી પરંતુ આ વર્ષે કોવિડ પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને રથયાત્રાનું આયોજન કરાશે.

અમદાવાદમાં દર વર્ષે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

અમદાવાદની રથયાત્રા અંગે ડીજીપીએ ગુજરાત સરકારની કોર કમિટીને આપેલા રિપોર્ટ બાદ ગુજરાતમાં રથયાત્રા કોવિડ પ્રોટોકૉલ મુજબ નીકળશે.

આ રથયાત્રામાં મલખમ આકર્ષણનું કેન્દ્ર રહે છે. વીડિયોમાં જુઓ કેવી રીતે અમદાવાદમાં બાળકો મલખમની પ્રૅક્ટિસ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો