રાજકોટ : એ ડૉકટર જેમણે ડૉક્ટરી છોડી ખેતી કરી, આજે રળે છે લાખોની કમાણી
પ્રકાશિત
રાજકોટના રમેશભાઈ જેવી કહાણી કદાચ જ તમે સાંભળી હશે. રમેશભાઈ વ્યવસાયે ડૉક્ટર છે, પરંતુ હાલ પોતાના પ્રાકૃતિક ખેતી કરવાના શોખના કારણે પ્રેક્ટિસ મૂકીને તેઓ ખેતી કરી રહ્યા છે.
તેઓ રાજકોટ નજીક જશવંતપુર ગામે 20 વીઘાના ખેતરમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
10 વીઘા જમીનમાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકની ખેતી કરી હાલ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
વીડિયો : બિપિન ટંકારિયા અને પ્રીત ગરાલા



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો