ઉત્તર પ્રદેશમાં 'કોરોના માતા'નું મંદિર બન્યું અને પછી તોડવામાં પણ આવ્યું
પ્રકાશિત
કોરોના વાઇરસના કેરથી બચવા ગામવાસીઓએ ‘કોરોના માતા’નું મંદિર બનાવ્યું.
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના જુહી શુકલપુર ગામના લોકોએ ફાળો એકઠો કરી મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં માસ્ક પહેરેલાં મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.
સ્થાનિકો માને છે કે આ મંદિરમાં પ્રાર્થના કરવાથી તેઓ કોરોનાથી બચી શકશે. જોકે, આ મંદિરની આસપાસ કોરોનાના નિયમોનું પાલન થતું જોવા મળતું નથી.
છેલ્લા મીડિયા અહેવાલો પ્રમાણે આ મંદિરને બાદમાં તોડી પાડવામાં આવ્યું છે,
જુઓ વીડિયો અહેવાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો