ગુજરાત : કોરોનાકાળમાં માથે બેડાં લઈને હજારો મહિલાઓએ સરઘસ કેમ કાઢ્યું?

પ્રકાશિત

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનાં કેટલાંક ગામોમાં લોકો આ રીતે એકઠા થઈ રહ્યા છે.

નિધરાડ, નવાપુરા ગામમાં હજારોની સંખ્યામાં મહિલાઓ માથા પર બેડા મૂકી મંદિર તરફ જઈ રહી હોય તેવાં દૃશ્યો વાઇરલ થયાં છે.

લોકોમાં અફવા ઊડી છે કે હિંદુ દેવતા બળિયા દેવને જળાભિષેક કરવાથી કોરોનાથી બચી શકાય છે.

ઘટના પર પોલીસે 23 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો