You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા રિક્ષામાં મજૂરોનું વતન ભણી સ્થળાંતર
પ્રકાશિત
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધતા કેસને જોતાં મજૂરો વતન પાછા જઈ રહ્યા છે.
આ રિક્ષાઓ મુંબઈ-આગ્રા હાઈવે પર ચાલી રહી છે. આ હાઈવે નાસિક શહેરમાંથી પસાર થાય છે.
દરેક રિક્ષામાં 4-6 લોકો બેઠેલા છે. કેટલાક એક જ પરિવારના કે પછી મિત્રો છે. ઓછામાં ઓછો સામાન લઈને તેઓ પોતાના વતન જવા રવાના થયા છે.
મહારાષ્ટ્ર સરકારે વીકેન્ડ લૉકડાઉનની જાહેરાત કરી છે અને આ મજૂરોને ડર છે તેમની આજીવિકા ખોરવાઈ જશે એટલે ફરી એક વાર સ્થળાંતર શરૂ થઈ ગયું છે. તેમાંથી મોટા ભાગના રિક્ષાચાલકો છે.
તેઓ કહે છે કે લગભગ 3-4 હજાર લોકો આવી જ રીતે વતન પરત જઈ રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો