સુરેન્દ્રનગર : એ શાળા જે વિચરતી જાતિનાં બાળકોનું ભવિષ્ય ભણતરથી ઉજ્વળ કરી રહી છે
પ્રકાશિત
સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારની આ શાળા અન્ય શાળા કરતા અલગ છે, કેમ કે આ શાળામાં માત્ર વિચરતી વિમુક્ત જાતિના લોકોના બાળકો જ અહીં ભણે છે.
આ શાળામાં વિચરતી વિમુક્ત જાતિ દેવીપુજક મારવાડી, દેવીપુજક સરાણિયા અને કાંગસિયાના બાળકો ભણી રહ્યાં છે.
હાલ કોરોનાની સ્થિતિમાં બાળકોને ઓનલાઇન તેમજ ઘરે ઘરે જઈને ભણાવામાં આવી રહ્યાં છે.
બાળકો શાળાએ આવે તે માટે મનભાવતાં ભોજન અને વિદ્યાર્થીઓને મફતમાં જરૂરી સ્ટેશનરી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો