વડા પ્રધાન મોદી ખેડૂત આંદોલન વિશે બોલતી વખતે કૉંગ્રેસ નેતા પર ગુસ્સે કેમ થયા?

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ભાષણ આપતી વખતે દેશમાં લાવેલા નવા ત્રણ કૃષિકાયદાઓ અંગે વાત કરી હતી.

તેઓએ કહ્યું કે કૃષિક્ષેત્રના ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને આ કાયદાઓ લાવવામાં આવ્યા છે.

તેઓએ કહ્યું કે દિલ્હીની સરહદે જે ખેડૂતભાઈ-બહેનો બેઠાં છે, તેઓ ખોટી ધારણાઓ અને અફવાના શિકાર બન્યાં છે.

વડા પ્રધાને કહ્યું કે અમે માનીએ છીએ કે જો કાયદાઓમાં ખામી લાગશે તો સુધારો કરવામાં શું ખોટું છે. અમે એના માટે તૈયાર છીએ.

તેમણે એમ પણ કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતોનો આદર કરે છે અને કરતી રહેશે.

વડા પ્રધાને આ વાત કરી ત્યારે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ વિરોધ કર્યો હતો અને થોડી વાર માટે લોકસભામાં હંગામો પણ થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો