You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે ચિંતામાં કેમ?
ભારતમાં એક તરફ કોરોના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના છ કેસો સામે આવ્યા છે.
મંગળવારે આરોગ્યમંત્રાલયે આ અંગેની જાહેરાત કરી. યૂકેથી પરત ફરેલા પ્રવાસીઓમાંથી છ પ્રવાસીઓ પૉઝિટિવ આવ્યા છે, જેમનામાં નવો કોરોના વાઇરસ જોવા મળ્યો છે.
આરોગ્યમંત્રાલયના સત્તાવાર નિવેદન પ્રમાણે એક કેસ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પૂણેના પ્રવાસીઓમાં જોવા મળ્યો છે. આ દર્દીઓને જે-તે શહેરોમાં તબીબી નિરીક્ષણ હેઠળ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ પૂર્વે બ્રિટનથી આવેલા ચાર ગુજરાતી પ્રવાસીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો