સુરેન્દ્રનગર : એ શિક્ષકો જેમણે સ્કૂલની બંજર જમીનને લીલાછમ વનમાં ફેરવી નાખી

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગર : એ શિક્ષકો જેમણે સ્કૂલની બંજર જમીનને લીલાછમ વનમાં ફેરવી નાખી
પ્રકાશિત

સુરેન્દ્રનગરના સરોડી ગામમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળાને હરિયાળી બનાવવામાં આવી રહી છે.

લૉકડાઉનના સમયગાળા દરમિયાન નાના અમથા ગામની આ શાળામાં 1500 જેટલાં છોડ અને વૃક્ષને રોપવાનું કામ હાથ ધરવામાં આવ્યું.

અહીં પાકતી ફળ, શાકભાજી સહિતની ચીજોને ગામના જરૂરિયાતમંદોને આપી દેવામાં આવે છે.

વીડિયો : સચીન પીઠવા / પ્રીત ગરાલા

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો