કોરોના અને કર્ફ્યુ વચ્ચે અમદાવાદમાં કેવી રીતે થઈ રહ્યાં છે લગ્નો?

પ્રકાશિત

ગુજરાતમાં વધતા કોરોના વાઇરસના સંક્રમણને જોતાં સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ લગાવ્યો છે.

જેની સૌથી વધારે અસર આ સમયગાળામાં જેમના ઘરે લગ્ન છે તેવા પરિવારો પર પડી રહી છે. સરકારે લગ્ન માટે મહેમાનોની સંખ્યા પણ નિર્ધારિત કરી દીધી છે.

ઉપરાંત આવા સમયે લગ્ન માટે મંજૂરી પણ લેવી પડતી હોય છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરની ઓફિસે લોકો કંકોતરી લઈને લાઇન લગાવી રહ્યા છે. જેથી લગ્ન માટેની મંજૂરી મળી રહે.

આ દરમિયાન 25 નવેમ્બરના રોજ અમદાવાદમાં યોજાયેલા આવા જ એક લગ્નમાં દુલ્હા-દુલ્હનના પરિવારજનોને કેવી મુશ્કેલી વેઠવી પડી. જુઓ વીડિયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો