ભારતી સિંહ ડ્રગ મામલે એનસીબીની તપાસમાં કઈ રીતે ફસાયાં?

પ્રકાશિત

સુશાંતસિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સની વાત સામે આવ્યા બાદ ફિલ્મ અને ટીવી જગતની અનેક સેલિબ્રિટીઝને નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પૂછપરછ કરી છે.

એનસીબીએ આ મામલામાં ઘણી સેલિબ્રિટીઝના ઘરે દરોડા પણ પાડ્યા હતા. જેમાં હવે કૉમેડિયન ભારતી સિંહનું નામ જોડાઈ ગયું છે.

ભારતી સિંહની એનસીબીએ શનિવારે મુંબઈમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી.

એનસીબી પ્રમાણે તેમના ઘર અને પ્રૉડક્શન હાઉસ પર દરોડોમાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

વિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાના સેવાનની વાતનો સ્વીકાર કર્યો છે. જોકે હાલ ભારતી સિંહ અને તેમનાં પતિને જામીન મળી ગયા છે...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો