પાવાગઢ અકસ્માત : ટક્કર એટલી ગંભીર હતી કે દર્શનાર્થીઓનાં ટેમ્પાનો કચ્ચરઘાણ વળી ગયો

પ્રકાશિત

સુરતથી પાવાગઢ જઈ રહેલા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં પાંચ મહિલા સહિત કુલ 11 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયાં છે.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી મુજબ આ અકસ્માત વડોદરાના વાઘોડિયા ખાતે મોડી રીત્રે 4 વાગે નોંધાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર લોકો મૂળ ભાવનગરના મહુવાના હતા અને પાવાગઢ દર્શન માટે જઈ રહ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો