ચંદ્ર પર કાયમી માનવવસાહત સ્થાપવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળશે?

પ્રકાશિત

હાલમાં જ વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચંદ્રની સપાટી પર ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં પાણી હોઈ શકે છે.

વૈજ્ઞાનિકો માને છે કે ચંદ્રની સપાટી પર સિક્કાની સાઇઝના બરફના છુપાયેલા પૉકેટ હોઈ શકે છે કે જેના પર અબજો વર્ષોથી સૂર્યપ્રકાશ ન પડ્યો હોય અને તે સપાટીને ઢાંકી રહ્યા હોય.

આ શોધથી ચંદ્ર પર કાયમી બેઝ તૈયાર કરવાની યોજનાને વેગ મળી શકે છે.

વિજ્ઞાનના એક સંશોધનપત્ર મુજબ મુજબ ચંદ્રની સપાટી પર આવાં સ્થળોએ પાણી ભરાયેલું હોય શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો