'જાનવર કરતાં બદતર જિંદગી છે', બિહારના મહાદલિતોની વ્યથા
પ્રકાશિત
આ બિહારની વજીરગંજ વિધાનસભાના બુધૌલ ગામની સુંદરપુર વસાહત છે.
ટેકનૉલૉજીની હરણફાળના યુગમાં મહાદલિતોની આ વસાહતમાં હજી સુધી વીજળી પહોંચી નથી.
કેન્દ્ર સરકારે ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવા માટે 2017માં સૌભાગ્ય યોજના શરૂ કરી હતી.
આ યોજના અંતર્ગત 2018માં જ બિહારને કેન્દ્ર સરકારે 100 ટકા વીજળી ધરાવતું રાજ્ય જાહેર કરી દીધું હતું.
આ ગામમાં પાણીની સમસ્યા પણ વિકરાળ છે.
બિહારની ચૂંટણીનું એલાન થઈ ગયું છે ત્યારે બિહારના બુધૌલ ગામની સુંદરપુર વસાહતથી બીબીસી સંવાદદાતા સર્વપ્રિયા સાંગવાનનો ગ્રાઉન્ડ રિપોર્ટ.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો