હાથરસ કેસ: બળાત્કાર કેસમાં વીર્યનું શરીર પર મળી આવવું ફરજિયાત છે?
પ્રકાશિત
હાથરસ કથિત દુષ્કર્મ અને હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે ફૉરેન્સિક રિપોર્ટનો આધાર આગળ કરી કહ્યું છે કે દલિત યુવતી સાથે દુષ્કર્મ નહોતું આચરવામાં આવ્યું.
યુપી પોલીસના આ નિવેદન બાદ તેમની ભારે ટીકા થઈ રહી છે. પીડિતાનો વિસેરા રિપોર્ટ હજુ સામે નથી આવ્યો પણ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે પીડિતા સાથે દુષ્કર્મ નથી થયું.
તો શું માત્ર વીર્ય/સીમન મળવાથી જ ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મનો કેસ બને છે? આ રિપોર્ટમાં એ જ જાણવાની કોશિશ કરીશું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો