પાકિસ્તાનમાં આવેલું એ મંદિર જે બાબરી વિધ્વંસ સમયે તોડવામાં આવ્યું હતું

પ્રકાશિત

લાહોર શહેરમાં હાજર આ જૈનમંદિરને બાબરી મસ્જિદ વિધ્વંસના સમયે પ્રતિક્રિયાના ભાગરૂપે તોડી પડાયું હતું.

પાકિસ્તાનનમાં વર્ષ 1992માં જ્યારે બાબરી વિધ્વંસની ઘટના ઘટી ત્યારે જેવું પ્રસારણ પાકિસ્તાનમાં ટીવી પર કરવામાં આવ્યું કે થોડી જ ક્ષણોમાં સમગ્ર પાકિસ્તાનમાં વિરોધની જ્વાળા ભડકી ઊઠી હતી.

આ જ પ્રકારના એક વિરોધપ્રદર્શન દરમિયાન ભીડ એકત્ર થઈ અને લાહોરના જૈનમંદિરને ત્રણ દિવસમાં ધ્વસ્ત કરી દીધું.

શૌકત ગુજ્જર અને તેમનો પરિવાર કેટલાંય વર્ષોથી આ વિસ્તારમાં રહે છે. 1992માં મંદિર તોડી પાડનાર ભીડમાં શૌકત હાજર હતા.

જુઓ બીબીસી સંવાદદાતા અલી કાઝમીનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો