અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસના સાક્ષી પત્રકારોએ એ દિવસે શું જોયું હતું?
"ટોળાનો માર શું હોય છે, લુંટાઈ જવું શું કહેવા એ મેં એ દિવસે જોયું. મારું જડબું તૂટી ગયું હતું. "
"મેં આ ઘટના પર ખૂબ લખ્યું છે પરંતુ હું હજી સુધી એને સારી રીતે વર્ણવી શકતો નથી કે હું એ વખતે શું અનુભવી રહ્યો હતો. "
"મને જાનથી મારી નાખવાની કોશિશ પણ થઈ પરંતુ કોઈક રીતે હું બચીને કારની ડિકીમાં સંતાઈને પાછી આવી."
"હું આ કેસનો 19મો સાક્ષી હતો અને મારી છેલ્લી જુબાની 7-8 વર્ષ અગાઉ થઈ હતી."
ઉપર એ પત્રકારોના નિવેદનો છે જેમણે 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાને આંખે જોઈ હતી.
હવે લગભગ ત્રણ દાયકા જૂના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં વિશેષ સીબીઆઈ અદાલતે ચુકાદો આપી દીધો છે અને અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતુંભરા સહિત દિગ્ગજ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે એ પત્રકારોએ એ દિવસે અયોધ્યામાં શું જોયું હતું અને એમની શું હાલત થઈ હતી જુઓ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો