શું ભારતીય સેનાએ કૈલાસ પર્વત અને માનસરોવર પર કબ્જો કરી લીધો? - ફૅક્ટ ચેક
પ્રકાશિત
લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે સતત તણાવ છે.
આ જ ક્રમમાં દરરોજ લદ્દાખમાં અલગ-અલગ જગ્યાઓને લઈને ખબરો સામે આવતી રહે છે.
સોશિયલ મીડિયા પર ગયા અઠવાડિયાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાએ કૈલાસ પર્વત અને માનસરોવર પર કબજો કરી લીધો છે.
આ વાતને દરરોજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે.
આ સમાચાર સાથે એક તસવીરને પણ શૅર કરવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવે છે કે ભારતીય જવાન કૈલાસ પર્વત પર તિરંગો લહેરાવી રહ્યા છે.
દાવો કરાઈ રહ્યો છે કે કૈલાસ પર્વતને ભારતમાં ભેળવ્યા બાદની આ તસવીરો છે.
બીબીસીએ આ દાવાઓની હકીકત શોધતાં શું મળ્યું, જુઓ વીડિયો

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો