વિજયવાડાના કોરોના સેન્ટરમાં લાગેલી ભીષણ આગનાં દૃશ્યો

પ્રકાશિત

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં સુવર્ણ પૅલેસ નામની એક હોટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આંધ્ર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

સવારે પાંચ વાગીને નવ મિનિટે પોલીસને આગ લાગી હોવાની જાણ થઈ હતી.

પાંચ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, આ સાથે જ બચાવ કામગીરી માટે પણ ટીમ આવી પહોંચી હતી.

5.45 વાગ્યે આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો