વડોદરામાં યુવાનોએ બનાવી ગણપતિની અનોખી મૂર્તિ, વિસર્જન બાદ ઊગશે છોડ
પ્રકાશિત
મહારાષ્ટ્રથી શરૂ થયેલી ગણપતિ ઉત્સવની પરંપરા ગુજરાતમાં પણ ઘણી ફેલાઈ છે. જોકે, આ પરંપરામાં મૂર્તિની બનાવટમાં પ્લાસ્ટર ઑફ પેરિસના ઉપયોગને લઈને જળપ્રદૂષણનો સવાલ પણ વારંવાર ચર્ચામાં આવે છે.
એ સવાલમાંથી જ માટીની મૂર્તિઓ અને ઇકો-ફ્રેન્ડલી ગણપતિની વાત પણ શરૂ થઈ. હવે એમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે.
વડોદરાના યુવાનોએ ગણપતિની એવી મૂર્તિ બનાવી છે જે વિસર્જન પછી છોડ તરીકે ઊગી શકે છે.
જુઓ આ અનોખી પહેલોનો વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો