કોરોના વાઇરસ : ગોધરામાં મસ્જિદ બની ગઈ કોવિડ-19 હૉસ્પિટલ
પ્રકાશિત
ગુજરાતમાં 19 જુલાઈ સુધીમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોની સંખ્યા 48 હજારને પાર પહોંચી ગઈ છે.
પહેલાં મોટાં શહેરો સુધી જ સીમિત કોરોના હવે નાનાં શહેરો અને ગામોમાં પણ ફેલાઈ રહ્યો છે, ત્યારે ગોધરાના મુસ્લિમોએ સ્થાનિક તંત્રની સાથે મળીને અનુકરણીય પહેલ કરી છે.
ગોધરાની બીજા નંબરની સૌથી મોટી મસ્જિદમાં પ્રાથમિક સંસાધનોથી સજ્જ 32 બૅડની હૉસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે.
જુઓ ગોધરાથી આ ખાસ અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો