અમદાવાદમાં કોરોના વાઇરસથી વધારે મોત કેમ થઈ રહ્યાં છે?

પ્રકાશિત

ગુજરાતની 'આર્થિક રાજધાની' તરીકે ઓળખાતા અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક બની છે અને તે રાજ્યનું 'કોરોના કૅપિટલ' પણ બની ગયું છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે કોરોનાની સ્થિતિને 'આંકડાકીય રીતે જોઈ ન શકાય તથા અલગ-અલગ પરિબળો તેને અસર કરતાં હોય છે.

ગુજરાતમાં કોરોનાને કારણે 1200થી વધુ મૃત્યુ થયાં છે, જેમાંથી એકલા અમદાવાદમાં 1,000 થી વધુ મૃત્યુ થયાં છે. અર્થાત્ આખા રાજ્યમાં થયેલાં દર પાંચ મૃત્યુમાંથી ચાર અમદાવાદમાં થયાં છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલ દેશની સૌથી જૂની જાહેર હૉસ્પિટલોમાંની એક છે, 1871માં બની હતી.

દર વર્ષે અહીં લગભગ સાડા છ લાખ દરદીઓને ટ્રિટમૅન્ટ આપવામાં આવે છે અને 70 હજારથી વધુ સર્જરી કરવામાં આવે છે. જોકે, કોવિડ-19 બીમારીને પહોંચી વળવા માટે આ હૉસ્પિટલ તૈયાર ન હતી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો