Coronavirus : 36 દિવસ વૅન્ટિલેટર પર રહ્યા બાદ જીવિત રહેનારી વ્યક્તિની કહાણી

પ્રકાશિત

કોલકાતામાં સૂમસામ રસ્તા પર હૉસ્પિટલથી ઘરે જતી વખતે ડૉક્ટર સાસ્વતી સિન્હાએ પોતાના દર્દીનાં પત્નીને ફોન પર આ વાત કહી.

એ 11 એપ્રિલની રાત હતી. એ સમયે કોરોના વાઇરસને કારણે દેશભરમાં લૉકડાઉન કડક રીતે લાગુ હતું.

નીતઈદાસ મુખરજી નામના દર્દી બે અઠવાડિયાંથી કોવિડ-19ને કારણે શહેરની એએમઆઈઆઈ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં અને આ ડૉક્ટર ત્યાં ક્રિટિકલ કૅરમાં કન્સલન્ટન્ટ હતાં.

52 વર્ષીય સામાજિક કાર્યકર મુખરજી બેઘરો માટે એક બિનલાભદાયી સંસ્થા ચલાવે છે અને તેઓ કોરોનાને કારણે વૅન્ટિલેટર પર હતા.

30 માર્ચ સાંજે તેમને સખત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો