લૉકડાઉન બાદ આપણી ભવિષ્યની મુસાફરી કેવી હશે?
પ્રકાશિત
કોરોના વાઇરસ અને લૉકડાઉને આપણા જીવન પણ અસર કરી છે. હવે જ્યારે પ્લેન, ટ્રેન બધું શરૂ થઈ રહ્યું છે ત્યારે જાણીએ કે ભવિષ્યનું ટ્રાવેલિંગ કેવું હશે.
હવે આપણે ભારતની ખીચોખીચ ભરેલી ટ્રેનોમાં ઓછાં લોકો જોવા મળશે અને દરેક જગ્યાએ સેનિટાઇઝર હશે.
ઍરપૉર્ટ પર કદાચ તમને મુસાફરોને સ્કેન કરવા અને ડિસઇન્ફેકટન્ટ છાંટવા માટે નવી ટેક્નૉલૉજી જોવા મળશે.
આપણે દિલ્હી મેટ્રોમાં બેસવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને લાંબી લાઇનોમાં ઊભા હોઈશું.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કદાચ નવા નિયમો સાથે શરૂ થશે, જેમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડે તથા ફ્લાઇટ એટેન્ડન્ટે પીપીઈ કિટ પહેરી હોય.
પ્રોડ્યુસર : નિકિતા મંધાની
ઍનિમેશન : નિકિતા દેશપાંડે


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો