ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે?

વીડિયો કૅપ્શન, ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે?
પ્રકાશિત

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતી ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે.

અમે સોશિયલ મીડિયા પર વાઇરસ થઈ રહેલા આવા જ કેટલાક દાવા અને માહિતીઓની તપાસ કરવાનો પ્રયત્નો કર્યો. આ વીડિયોમાં અમે તમને આવી જ કેટલીક માન્યતાઓનું સત્ય જણાવીશું.

સોશિયલ મીડિયામાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે ગાંજાથી કોરોનાની સારવાર થઈ શકે છે? અમે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલા આ દાવાની તપાસ કરી હતી.

હજારો લોકોએ સોશિયલ મીડિયા પર એવા લેખ શૅર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે. આ પૈકી કેટલાય લેખનાં મથાળાં ભ્રામક અને ગુમરાહ કરનારાં છે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો