Unlock 1: ગુજરાતમાં શું ખૂલશે શું બંધ રહેશે?
પ્રકાશિત
એકતરફ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે, ત્યારે જ ભારત સરકાર દ્વારા એક જૂનથી સમગ્ર દેશમાં લૉકડાઉનનો અંત આણી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અનલૉક-1ની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્ર સરકારના માર્ગદર્શનને અનુસરી ગુજરાત સરકારે પણ આર્થિક પ્રવૃત્તિઓને વધુ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે.
આ વીડિયોમાં આપણે જાણીશું કે આખરે અનલૉક-1માં ગુજરાતમાં કઈ કઈ સેવાઓ પૂર્વવત્ બનાવાશે અને કયા કયા નિયંત્રણો હળવા બનાવાશે.
ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાતો પૈકી એક જાહેરાત હતી રાજ્યમાં કોરોનાના કેરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા શહેર એવા અમદાવાદ શહેરમાં સિટી બસ સેવાઓ અને રાજ્યમાં અંદરોઅંદર અન્ય બસ સેવાઓને મંજૂરીની જાહેરાત.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો