વિશ્વ પર્યાવરણ દિવસ : ચોખ્ખું પાણી ન મળવાથી દર વર્ષે બે લાખ ભારતીયો મોતને ભેટે છે

પ્રકાશિત

ભારતના અનેક વિસ્તારો પીવાલાયક પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં ઉનાળો શરૂ થાય કે પાણીની અછતની બૂમો ઊઠે છે.

ઘણા એવા પરિવારો છે જેમને ના તો પીવાલાયક પાણી મળે છે અને ના તો રોજીંદી જરૂરિયાત માટે પૂરતું પાણી છે.

મહિલાઓ, બાળકો સવારથી જ લાંબી લાઇનોમાં પાણી ભરવા માટે લાગી જાય છે.

બીજી તરફ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણીની બરબાદી થાય છે.

નીતિ આયોગના વર્ષ 2018ના રિપોર્ટ પ્રમાણે પીવાલાયક ચોખ્ખું પાણી ન મળવાથી દર વર્ષે બે લાખ લોકોનાં મૃત્યુ થાય છે.

વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં ભારતનો 42 ટકા વિસ્તાર દુષ્કાળગ્રસ્ત હતો.

દર વર્ષે પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન મનાવવામાં આવે છે.

બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

જુઓ આ સિરીઝનો પહેલો વીડિયો.

પ્રોડ્યુસર: વમસી ચૈતન્ય

ઇલસ્ટ્રેશન: ગોપાલ શૂન્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો