કોરોનામાં રમઝાન : આ મુસ્લિમ ડૉક્ટર ખુરશીમાં જ પઢી લે છે નમાઝ

પ્રકાશિત

કોરોનાની મહામારીનો ભોગ આખી દુનિયા બની છે અને માનવજીવન ખોરવાયું છે.

સ્વાભાવિક છે માનવજીવનની સાથે સંકળાયેલા તહેવારો અને રીતિરિવાજો પણ મહામારીનો ભોગ બન્યા છે.

અત્યારે ઇસ્લામનો પવિત્ર ગણાતો ઇબાદતનો મહિનો રમઝાન ચાલી રહ્યો છે પરંતુ મક્કાથી લઈને અમદાવાદ સુધી મસ્જિદોમાં ભીડ નથી.

ભારતમાં લૉકડાઉનને પગલે મુસ્લિમ સંસ્થાઓએ ઘરેથી જ નમાઝ પઢવાની વાત કરી છે.

રમઝાનમાં મુસલમાનો રોઝા રાખે છે પરંતુ જે મુસ્લિમો સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા છે તેમની સ્થિતિ શું છે.

બીબીસી એવા બે સ્વાસ્થ્યકર્મી સાથે વાત કરી. જાણો તેમની કહાણી આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો