CAA અને NRC : 'બીજા ભારતમાં રહેશે તો મુસ્લિમોએ શું ગુનો કર્યો છે'

વીડિયો કૅપ્શન, 'બીજા ભારતમાં રહેશે તો મુસ્લિમોએ શું ગુનો કર્યો છે'
પ્રકાશિત

સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટની સામે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને પશ્ચિમ બંગાળ પણ તેમાંથી બાકાત નથી.

બંગાળી મુસ્લિમોને આશંકા છે કે પહેલાં CAA અને પછી નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (NRC) લાગુ થશે, જેથી તેમને નાગરિક્તા સાબિત કરવી મુશ્કેલ પડશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં NRCને લાગુ કરવાની વાત કહી હતી.

રાજ્યના મુખ્ય મંત્રી મમતા બેનરજી અગાઉ જ કહી ચૂક્યા છે કે તેઓ રાજ્યમાં CAA કે NRC લાગુ નહીં થવા દે.

કોલકતાથી રોક્સી ગાગડેકર છારાનો અહેવાલ. શૂટ-ઍડિટ પવન જયસ્વાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો