સરદાર સરોવરમાં પાણી વધતાં મધ્ય પ્રદેશનાં 178 ગામો પર સંકટ

પ્રકાશિત

સરદાર સરોવરમાં 138 મીટર સુધી પાણી ભરાયા બાદ મધ્ય પ્રદેશનાં 178 ગામો પર સંકટ આવી પડ્યું છે.

નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે ગુજરાતમાં પાણીની તંગી ઘણે અંશે દૂર થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે.

પરંતુ તેમાં પાણી વધવાને કારણે નર્મદા નદીની આસપાસનાં કેટલાંય ગામો પાણીમાં ડૂબી ગયાં છે.

ચિખલદા ગામ ખાસ એટલા માટે છે કે તામ્રપાષણયુગમાં અહીં જ આપણા પૂર્વજોએ ખેતીની શરૂઆત કરી હતી.

આ ગામ ડૂબમાં ગયા બાદ ત્યાં રહેલી વિરાસત પણ સંકટમાં છે.

જોઈએ બીબીસી સંવાદદાતા પ્રિયંકા દુબેનો ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો