જેરુસલેમ : મૃતકો માટે ભૂગર્ભમાં બની રહ્યું છે ખાસ શહેર
પ્રકાશિત
મોટાભાગના યહૂદીઓની ઇચ્છા હોય છે કે તેમની દફનવિધિ જેરુસલેમમાં થાય, પરંતુ હવે દરેક વ્યક્તિની આ ઇચ્છા પૂર્ણ થઈ શકે તેમ નથી.
કેમ કે જેરુસલેમમાં મૃતકોની દફનવિધિ માટે હવે જગ્યા જ બચી નથી.
આ સમસ્યાના સમાધાન માટે જેરુસલેમમાં એક અંડરગ્રાઉન્ડ શહેરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
એવું અનુમાન છે કે આ શહેરમાં આશરે 22 હજાર લોકોની દફનવિધિ કરી શકાશે.
આ અંડરગ્રાઉન્ડ કબ્રસ્તાન ઑક્ટોબર 2019માં શરૂ થવાની શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો