કાશ્મીરના લોકો ગૃહમંત્રી અમિત શાહના આ એક આદેશથી કેમ ભયમાં છે?

વીડિયો કૅપ્શન, કાશ્મીરના લોકો સરકારના આ એકઆદેશથી કેમ ડરેલા છે?
પ્રકાશિત

ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષાદળોની વધારાની 100 કંપનીઓ તહેનાત કરવાનો ગૃહમંત્રાલયે આદેશ કયો છે. આ ઉપરાંત પ્રવાસીઓને પણ પાછા બોલાવાઈ રહ્યાં છે. ઉગ્રવાદી હુમલાની દહેશતને પગલે સરકારે અમરનાથ યાત્રા મોકૂફ કરી છે.

સરકારે સુરક્ષાદળોની વધારાની કંપનીઓ મોકલતા કાશ્મીર ખીણમાં ડરનો માહોલ છે.

ગૃહમંત્રાલયના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

ગૃહમંત્રાલયે પહેલો આદેશ 25 જુલાઈના રોજ આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો