યોગી આદિત્યનાથે કહ્યું, ડગ્યા વગર,ઝૂક્યા વગર યુપીની જનતા માટે કામ કરીશું
ઉત્તર પ્રદેશમાં ભાજપે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ધારાસભ્યદળના નેતા ચૂંટાયા બાદ ભાષણમાં કહ્યું, "જનતાએ તમામ કુપ્રચાર છતાં વંશવાદી અને જાતિવાદી રાજકારણને નકારી દીધું."
તેમણે કહ્યું, "પક્ષે મને ફરીથી જવાબદારી સોંપી છે તો હું વચન આપું છું કે ઝૂક્યા વગર, ડગ્યા વગર ઉત્તર પ્રદેશની જનતા માટે કામ કરીશ."
"મને ધારાસભ્યદળના નેતાના રૂપે આજે ચૂંટવામાં આવ્યો છે.હું આપ સૌનો આભારી છું.ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થયું છે કે કોઈ મુખ્ય મંત્રી પાંચ વર્ષ સુધી કાર્ય કરે અને તે પક્ષ દ્વારા સત્તામાં આવી જાય.જો તમે પ્રથમ સામાન્ય ચૂંટણીથી અત્યાર સુધી જુઓ તો આવું પ્રથમ વખત બન્યું છે."
"સુરક્ષાનો બહેતર માહોલ, કલ્યાણકારી યોજનાઓ વગર ભેદભાવે પૂરી પાડવાનું કામ જે પ્રતિબદ્ધતાથી થયું, એનું પરિણામ જનતાએ 2022ની આ ચૂંટણીમાં આપણી સૌની સામે પ્રસ્તુત કર્યું છે. "
"2017માં હું એક સામાન્ય સાંસદ હતો. મારી પારે કોઈ વહીવટી અનુભવ નહોતો.પણ એક વાલીના રૂપે આદરણિય વડા પ્રધાનજીએ અને પક્ષના તત્કાલિન અધ્યક્ષ અમિત શાહજીએ સંરક્ષણ આપ્યું.બાકી અમે તો અભણ હતા."
યોગી આદિત્યનાથે કહ્યું, " ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કોઈ સુરક્ષા અંગે નહોતું વિચારતું. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં રોકાણ અને સુશાનની વાત થઈ શકે એ શક્ય કરી બતાવ્યું. "







