બ્રેકિંગ, અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ, રથ નિજમંદિર પરત
અમદાવાદમાં કોરોના મહામારીના પગલે વિવિધ પ્રતિબંધોની વચ્ચે નીકળેલી રથયાત્રા પૂર્ણ થઈ છે. જગન્નાથ મંદિરેથી નીકળેલા રથ સરસપુર થઈને નિજમંદિરે પરત ફર્યા છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે ‘અમદાવાદમાં રથયાત્રાને પગલે લાગુ કરવામાં આવેલા કર્ફ્યુને મારી અમદાવાદના કમિશનર સાથે વાત થયા પ્રમાણે સવારે સાડા અગિયાર કલાકેહઠાવી લેવામાં આવશે.’
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકો આભાર માનતા કહ્યું,‘જે પ્રકારે લોકોને અપીલ કરી હતી કે ભગવાન જગન્નાથના દર્શન ઘરે ટીવી અને બીજાં માધ્યમો પર કરજો, તેનું તેમણે પાલન કર્યું તે બદલ આભાર.’