અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની છે.
અમદાવાદ ઝોન-5ના ડીસીપી રવિ તેજાએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને કહ્યું કે અમુક લોકોએ જ પથ્થર ફેંક્યા હતા, ત્યાં હાજર પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.
તેમણે વધુમાં કહ્યું, "હાલમાં 2 પોલીસની ગાડીઓ ગોમતીપુર વિસ્તારમાં હાજર છે અને કોઈ અશાંતિ નથી."
ડીસીપીએ કહ્યું કે આ પથ્થરમારો ન હતો, પણ પોલીસ સાથેનું એક ઘર્ષણ હતું, જેને હાલ કાબૂમાં લઈ લેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "પોલીસ થોડા સમય બાદ પથ્થરમારો કરનારા લોકો સામે ફરિયાદ નોંધવશે."