સીજેપીએ વાતચીત પછી કહ્યું - સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીમાનાની માગ પર કાલ સુધીનો સમય માગ્યો, નડ્ડાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, PTI
કેન્દ્ર સરકારે કૉક્રોચ જનતા પાર્ટીની માગો પર કાલ સુધીનો સમય માગ્યો છે.
દિલ્હીના કૉન્સ્ટીટ્યુશન ક્લબમાં સીજેપી અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત પછી સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે આ માહિતી આપી હતી.
આ વાતચીતમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સામેલ થયા હતા. સીજેપી તરફથી તેમના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સામેલ થયા હતા.
આ વાતચીત લગભગ બે કલાક ચાલી હતી. જેમાં સીજેપીએ પોતાની પ્રમુખ માગો સરકાર સામે રાખી.
તેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, નીટ પેપર લીકનેક કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર પણ સામેલ છે.
વાતચીત પછી કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે, "અમે લોકો આંદોલનકારીઓના વિષયો પર ચર્ચા કરવા માટે અહીં આવ્યા હતા. લગભગ બે કલાક ચાલેલી ચર્ચામાં સરકાર તરફથી હું અને મારા સાથી જિતન્દ્ર સિંહ પણ સામેલ થયા. તેમની વાતો અમે સાંભળી."
નડ્ડાએ જણાવ્યું કે, "તેમની મુખ્ય ત્રણ માગો હતી, અમે તેમને કહ્યું કે કાલ બપોર પછી ફરી મળીશું અને ચર્ચા કરીશું."
શિક્ષણ મંત્રીનું રાજીનામું સીજેપીના એક મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શનનો મુખ્ય મદ્દો રહ્યું છે.
20 જુલાઈના જ્યારે વિદ્યાર્થી સંસદ સુધી માર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તો આ પ્રદર્શન હિંસક થઈ ગયા.
સીજેપીએ કહ્યું છે કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બનાવશે.
સીજેપી પ્રવક્તા સૌરવ દાસે મીટિંગ પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, "અમારી માગોમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જેની પર સમજૂતી ન થઈ શકે, બીજું એક કરોડનું વળતર અને જે એફઆઈઆર (સીજેપીના પ્રદર્શન દરમિયાન) થઈ છે, તેને પાછી ખેંચવામાં આવે, છે."
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને દિલ્દીના જંતર-મંતર પર યુવાનોનું પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનને ખતમ કરવાને લઈને સરકાર તરફથી કરવામાં આવેલી અપીલ અને આશ્વાસનની યુવાનો પર કોઈ અસર નથી દેખાઈ રહી.








