Live, જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રીતિ ઝિન્ટાએ શું કહ્યું?

જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને લઈને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સવાલ પૂછ્યો છે કે ક્યાંક દેશની અંદર અને બહારના કેટલાક અયોગ્ય લોકો વિદ્યાર્થીઓનાં ગુસ્સા અને પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને?

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રીતિ ઝિન્ટાએ શું કહ્યું?, જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને લઈને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પ્રતિક્રિયા આપી છે.

    જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને લઈને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સવાલ પૂછ્યો છે કે ક્યાંક દેશની અંદર અને બહારના કેટલાક અયોગ્ય લોકો વિદ્યાર્થીઓનાં ગુસ્સા અને પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને?

    પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ શૅર કરતા કહ્યું કે વિદ્યાર્થીઓનાં શાંતિપૂર્ણ પ્રદર્શનોનો દેશવિરોધી તત્ત્વો દ્વારા હંગામો ફેલાવવા અથવા તેની દિશા બદલવા માટે ઉપયોગ ન થવો જોઈએ.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "જ્યાં એ જરૂરી છે કે આપણે આપણા વિદ્યાર્થીઓનું સમર્થન કરીએ અને એવા શિક્ષણ સુધારાઓની માંગ કરીએ, જે આપણા યુવાનોના ભવિષ્યને વધુ સારું બનાવે, ત્યાં એ પણ જરૂરી છે કે વિદ્યાર્થીઓનાં શાંતિપૂર્ણ પ્રદર્શનોનો ઍન્ટી-નૅશનલ ઍલિમેન્ટ્સ દ્વારા હંગામો ફેલાવવા અને પ્રદર્શનની દિશા બદલવા માટે ઉપયોગ ન કરવામાં આવે."

    અભિનેત્રીએ આગળ કહ્યું, "ઑનલાઇન વધતી નફરત અને વિભાજનકારી વાતાવરણને જોઈને મને ચિંતા થાય છે કે ક્યાંક દેશની અંદર અને બહારના કેટલાક અયોગ્ય લોકો વિદ્યાર્થીઓનાં ગુસ્સા અને પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને?"

    પ્રીતિ ઝિન્ટાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મેં હંમેશાં મહેનત, સમાનતા અને શ્રેષ્ઠ કાર્યમાં વિશ્વાસ રાખ્યો છે અને આ બાબતો સાથે ક્યારેય સમાધાન થવું જોઈએ નહીં. હું આપણાં લોકતંત્ર, કાયદો અને વ્યવસ્થા તથા અમારી સરકારમાં પણ વિશ્વાસ રાખું છું."

    તેમણે લખ્યું, "હું દિલથી આશા રાખું છું કે બંને પક્ષો સાર્થક અને સકારાત્મક સંવાદની શરૂઆત કરે અને આ પ્રદર્શન તથા ચર્ચામાંથી તમામ ખોટા ઇરાદાવાળા લોકો અને મુદ્દાઓને દૂર કરે, જેથી આપણા યુવાનો અને આપણા લોકતંત્રનું ભવિષ્ય ઉજ્જવળ બને."

    આ પહેલાં પ્રીતિ ઝિન્ટાએ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. તેમણે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યું કે તેમની તબિયત પણ આ લડાઈ જેટલી જ મહત્ત્વપૂર્ણ છે.

    ઉલ્લેખનીય છે છે કે સોમવારે થયેલા વિરોધ માર્ચ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગૅસના ગોળા છોડ્યા હતા. ત્યારબાદ ઘણા ફિલ્મના કલાકારોએ વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

    આ પહેલાં પ્રીતિ ઝિન્ટાએ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. તેમણે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યું કે તેમની તબિયત પણ આ લડાઈ જેટલી જ મહત્ત્વપૂર્ણ છે.

    ઇમેજ સ્રોત, Andrew H. Walker/Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રીતિ ઝિન્ટાએ આ પહેલાં પણ વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
  2. વરસતા વરસાદ વચ્ચે જંતર-મંતર પર કેવો છે વિરોધપ્રદર્શનનો માહોલ, જુઓ તસવીરોમાં, દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) તથા વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

    ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

    ઇમેજ કૅપ્શન, સોમવારે થયેલી વિરોધ માર્ચ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગૅસના શૅલ્સ પણ છોડવામાં આવ્યા હતા.

    દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) તથા વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

    બુધવારે સવારે વરસાદ થયો છતાં પ્રદર્શનકારીઓ ત્યાં અડગ છે અને તેઓ તાડપત્રીનો ઉપયોગ કરી રહ્યા છે.

    આ પહેલાં મંગળવારે મોડી સાંજે શિવસેના (યુટીબી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓ પ્રદર્શનના સ્થળે પહોંચ્યાં હતાં.

    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

    દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) તથા વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

    ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

    ઇમેજ કૅપ્શન, વરસતા વરસાદ વચ્ચે પણ પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર અડગ છે.
    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

    ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

    ઇમેજ કૅપ્શન, સોમવારે થયેલા પ્રદર્શન દરમિયાન કેટલાક વિદ્યાર્થિઓ ઘાયલ થયા છે. તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી થઈ શકી પરંતુ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ દરમિયાન 70 કરતા વધારે પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.
    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

    ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

    ઇમેજ કૅપ્શન, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ દરમિયાન દિલ્હી પોલીસ તથા સુરક્ષાદળોના કુલ 118 જવાન ઘાયલ થયા હતા.
    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

    ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

    ઇમેજ કૅપ્શન, વરસાદમાં તાડપત્રી લઈને ઉભેલો એક વિદ્યાર્થી.
    બુધવાર સવારની જંતર-મંતરની તસવીરો

    ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

    ઇમેજ કૅપ્શન, વરસાદને કારણે જંતર-મંતર પર આ પ્રકારે તાડપત્રી બાંધવામાં આવી છે.
  3. પત્રકારો પર પ્રદર્શનકારોના કથિત હુમલા વિશે કૉક્રોચ જનતા પાર્ટીએ શું કહ્યું?

    પત્રકાર દેવ કોટકે આરોપ લગાવ્યો છે કે સીજેપીના પ્રદર્શનકારીઓએ તેમની સાથે મારપીટ કરી અને તેમનાં મોબાઇલ તથા ઘડિયાળ છીનવી લીધાં.

    ઇમેજ સ્રોત, Kabir Jhangiani/NurPhoto via Getty Images

    ઇમેજ કૅપ્શન, સીજેપીના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી વાર મેઇનસ્ટ્રીમ મીડિયા સામે નારાબાજી કરી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ આવ્યા છે.

    દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ પર આરોપ છે કે તેમણે 'ટાઇમ્સ નાઉ'ના પત્રકાર દેવ કોટક સાથે મારપીટ કરી હતી. ત્યાર પછી સીજેપીએ આ હુમલાની ટીકા કરી છે.

    સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કહ્યું કે, "પોલીસ ગમે તેટલી ઉશ્કેરે તો પણ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ."

    સૌરભ દાસે ઍક્સ પોસ્ટ પર લખ્યું કે, "અમે દેવ (રિપોર્ટર) પર થયેલા હુમલાની આકરી ટીકા કરીએ છીએ. તેઓ એક શાનદાર રિપોર્ટર છે. પોલીસ ગમે તેટલી ઉશ્કેરે, કોઈએ કોઈ પ્રકારની હિંસા કરવી ન જોઈએ. માફ કરજો ભાઈ દેવ. અમે બધાને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ."

    પત્રકાર દેવ કોટકે આરોપ લગાવ્યો છે કે સીજેપીના પ્રદર્શનકારીઓએ તેમની સાથે મારપીટ કરી અને તેમનાં મોબાઇલ તથા ઘડિયાળ છીનવી લીધાં.

    અહીં ધ્યાન આપવું જરૂરી છે કે સીજેપીના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી વાર મેઇનસ્ટ્રીમ મીડિયા સામે નારાબાજી કરી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ આવ્યા છે.

  4. નસીરુદ્દીન શાહે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ કહ્યું, “ગુસ્સાથી ઊકળી ઉઠ્યો છું”

    નસીરુદ્દીન શાહે કહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ હિંમત નહીં હારે, ઘણા લોકોની હમદર્દી તેમની સાથે છે.

    ઇમેજ સ્રોત, Waseem Gashroo/Hindustan Times via Getty Images

    ઇમેજ કૅપ્શન, નસીરુદ્દીન શાહે કહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ હિંમત નહીં હારે, ઘણા લોકોની હમદર્દી તેમની સાથે છે.

    કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થકો અને પ્રદર્શકારો પર સોમવારે સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી બાદ સિમેમા જગત સાથે જોડાયેલા ઘણા લોકોએ તેની નિંદા કરી છે. હવે દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં નિવેદન આપ્યું છે.

    નસીરુદ્દીન શાહે કહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ હિંમત નહીં હારે, ઘણા લોકોની હમદર્દી તેમની સાથે છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્ટાગ્રામ પર એક વીડિયો જારી કરીને કહ્યું, “ઍક્ટિંગના બે કોર્સ પૂર્ણ કર્યા બાદ પણ મેં અભિયન કરવાનું વિદ્યાર્થીઓ પાસેથી શીખ્યું છે. જેને શીખવવાની કોશિશ મેં કરી છે. મારી પૂર્ણ હમદર્દી તેમની સાથે છે. હું તેમના તમામ શ્વાસની સાથે દુઆ આપું છું અને દરેક ટીચર્સ ડે પર તેમને સલામ કરું છું.”

    તેમણે કહ્યું, “મારું દિલ ભરાઈ આવ્યું છે. આ જોઈને હું ગુસ્સાથી ઊકળી ઉઠ્યો છું. આપણાં બાળકો સાથે આ પ્રકારનો જુલમથી ભરેલું વર્તન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સાથેનો આ વ્યવહાર એ ગુંડાઓ મારફતે થઈ રહ્યો છે. જે મને અમેરિકામાં આઇસ એજન્ટની યાદ અપાવે છે. જેમના હાથમાં દંડા અને મોઢા પર નકાબ હતો. ક્યારેક પોતાનાં બાળકો માટે પણ વિચારો અને એ પણ વિચારો કે તમારું કરેલું તમને પરત મળશે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોનાક્ષી સિન્હા, પ્રીતિ ઝિન્ટા, સોનુ સુદ, દિલજીત દોસાંજ, રિતેશ દેશમુખ, ભૂમિ પેડનેકર અને જેનેલિયા સહિત ઘણાં અભિનેતા-અભિનેત્રીઓએ વિદ્યાર્થીઓના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

  5. ધર્મેન્દ્ર પ્રધાન બોલ્યા, ‘રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણ માટે ઉપયોગ કરી રહ્યા છે’

    કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણમાં ઉપયોગ કરીને સંસદના ચોમાસાના સત્રમાં અવરોધ ઊભો કરવા માગે છે.

    ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

    ઇમેજ કૅપ્શન, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાહુલ ગાંધીએ વડા પ્રધાન નિવાસસ્થાને ધરણા કર્યા જેને કારણે સામાન્ય લોકોને પરેશાની ઉઠાવવી પડી (ફાઇલ ફોટો)

    કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો રાજકારણમાં ઉપયોગ કરીને સંસદના ચોમાસાના સત્રમાં અવરોધ ઊભો કરવા માગે છે.

    ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ સતત વિદ્યાર્થીઓનો રાજનીતિ માટે ઉપયોગ કરે છે. જેથી સંસદના ચોમાસું સત્ર દરમિયાન અવરોધ પેદા કરી શકે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે વડા પ્રધાનના ઘરની બહાર ઘરણાંનો નિર્ણય લીધો. જેથી સામાન્ય લોકોને પરેશાની થઈ અને સુરક્ષાના નિયમોને અવગણવામાં આવ્યા.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સાંસદોએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગને લઈને વડા પ્રધાન નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ બહાર ધરણાં અને પ્રદર્શન કર્યાં હતાં.

    ત્યાર બાદ તેમની અટકાયત કરવામાં આવી, જોકે કેટલાક કલાકો બાદ અટકાયતમાં લેવાયેલા તમામ નેતાઓને છોડી મૂક્વામાં આવ્યા હતા.

    નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમારું સ્વાગત છે

    આ પેજ પર તમને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનની મહત્ત્વની અપડેટ્સ મળતી રહેશે.

    દિલ્હીના જંતરમતર પર કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. ગઈકાલે તેમણે સંસદ તરફ કૂચ કરવાની કોશિશ કરી હતી. આજે પણ તેઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

    તમામ મહત્ત્વના સમાચારો મેળવવા બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન