શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘરની ઘેરાબંધી કરવા પહોંચેલા લોકો બન્યા હિંસક, જુઓ તસવીરો

પ્રકાશિત

શ્રીલંકામાં પાછલા ઘણા દિવસોથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે, સરકાર પાસે વિદેશી હૂંડિયામણ ખૂટી પડતાં દેશમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ થઈ છે. ત્યારે 31 માર્ચની રાત્રે હજારો લોકો રાષ્ટ્રપતિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં વિરોધ કરતી વેળાએ હિંસા સર્જાઈ હતી.

ગુસ્સે ભરાયેલા લોકો પથ્થરમારો કરી રહ્યાં હતાં

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ગુરુવારે રાત્રે ભારે વિરોધપ્રદર્શન અને હોબાળો થયો છે, ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો
રાષ્ટ્રપતિના ઘર બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, કોલંબોમાં રાત્રે પાંચ હજારથી વધારે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ સાથે તેમના ઘર બહાર એકઠા થયા હતા
શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘર તરફ કૂચ કરી રહેલા ટોળાએ બસ સળગાવી દીધી હતી

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓએ રાજધાની કોલંબોના રસ્તા પર ટાયરો તેમજ વાહનોને આગચંપી કરી હતી
ટોળાને કાબૂ કરવા પોલીસે ટિયર ગૅસના સૅલ છોડ્યાં હતાં

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિના ઘર પર હલ્લાબોલ કરવાના પ્રયત્ન દરમિયાન ભીડ અને પોલીસ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી, ટોળાને કાબૂ કરવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા
હિંસા બાદ સમગ્ર શ્રીલંકામાં મોટી સંખ્યામાં પોલીસ અને સૈન્યબળોને તહેનાત કરવામાં આવ્યા છે

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, રવિવારે રાત્રે લાદવામાં આવેલો કરફ્યૂ સોમવારે સવારે હઠાવી લેવાયો હતો પરંતુ શહેરમાં પોલીસ અને સેનાની હાજરી વધારવામાં આવી છે
ક્રોધે ભરાયેલા લોકોએ રિક્શાને પણ સળગાવી દીધી હતી

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે
ક્રોધે ભરાયેલા લોકોએ સળગાવેલી બસ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓએ જાહેર મિલકતને નુકસાન કર્યું હતું તેમજ બસને આગ ચાંપી હતી
શ્રીલંકાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી રહી છે

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ હતું કે દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ નથી અને સરકારી વીજ કંપની ગુરુવારે 13 કલાક માટે વીજકાપ મૂકવા જઈ રહી હતી